- વારાણસીમાં મોદીની ટીકા કરતા પોસ્ટરોથી હોબાળો
- પોસ્ટરમાં લખ્યું છે 'જાને વોહ કૌન સા દેશ જહા તુમ ચલે ગયે'
વારાણસી, તા. 19 ઓગસ્ટ, 2017, શનિવાર
ઉત્તર પ્રદેશનું વારાણસી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મત વિસ્તાર છે. આ વિસ્તારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કેટલાક વિવાદીત પોસ્ટરો ફરતા થયા છે.
પોસ્ટરોમાં મોદીની તસવીરો છે અને સાથે તેમાં લખ્યું છે કે લાપતા મોદી, આ ઉપરાંત જાને વોહ કૌન સા દેશ જહા તુમ ચલે ગયે જેવી ફિલ્મી ગીતોની લાઇનો પણ લખેલી છે.
આ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યું છે. છેલ્લે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં પોતાના મત વિસ્તાર વારાણસીમાં ગયા હતા. તે બાદ તેઓ ત્યાં નથી ગયા. જેને પગલે કોઇએ આ પોસ્ટર લગાવ્યા હોવાની શક્યતાઓ છે. પોસ્ટર કોણે લગાવ્યા તેની પોલીસે તપાસ હાથ ધરી છે.
પોસ્ટરમાં લખ્યુ છે કે માર્ચ મહિનામાં ત્રણ દિવસ વૈભવી રોડ શો કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જતા રહ્યા છે તે પછી તેઓ આવ્યા જ નથી. તેમની કોઇ જ ભાળ ન મળી રહી હોવાથી મજબુરીમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. નીચે લખ્યું છે લાચાર, બેબસ, હતાસ કાશીની જનતા.
- પોસ્ટરમાં લખ્યું છે 'જાને વોહ કૌન સા દેશ જહા તુમ ચલે ગયે'
વારાણસી, તા. 19 ઓગસ્ટ, 2017, શનિવાર
ઉત્તર પ્રદેશનું વારાણસી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મત વિસ્તાર છે. આ વિસ્તારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કેટલાક વિવાદીત પોસ્ટરો ફરતા થયા છે.
પોસ્ટરોમાં મોદીની તસવીરો છે અને સાથે તેમાં લખ્યું છે કે લાપતા મોદી, આ ઉપરાંત જાને વોહ કૌન સા દેશ જહા તુમ ચલે ગયે જેવી ફિલ્મી ગીતોની લાઇનો પણ લખેલી છે.
આ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યું છે. છેલ્લે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં પોતાના મત વિસ્તાર વારાણસીમાં ગયા હતા. તે બાદ તેઓ ત્યાં નથી ગયા. જેને પગલે કોઇએ આ પોસ્ટર લગાવ્યા હોવાની શક્યતાઓ છે. પોસ્ટર કોણે લગાવ્યા તેની પોલીસે તપાસ હાથ ધરી છે.
પોસ્ટરમાં લખ્યુ છે કે માર્ચ મહિનામાં ત્રણ દિવસ વૈભવી રોડ શો કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જતા રહ્યા છે તે પછી તેઓ આવ્યા જ નથી. તેમની કોઇ જ ભાળ ન મળી રહી હોવાથી મજબુરીમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. નીચે લખ્યું છે લાચાર, બેબસ, હતાસ કાશીની જનતા.